રાયગઢમાં શિવશાહી બસની ટક્કરે રીક્ષાનો કચ્ચરઘાણઃ ત્રણનાં મોત

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
રાયગઢમાં શિવશાહી બસની ટક્કરે રીક્ષાનો કચ્ચરઘાણઃ ત્રણનાં મોત 1 - image


- વહેલી સવારે માણગાંવ પાસે અકસ્માત

- થાણેથી દાપોલી જવા નીકળેલી બસના કેટલાક પ્રવાસીઓને પણ ઈજા પહોંચી

મુંબઇ : મુંબઇ-ગોવા હાઇવે પર રાયગઢ જિલ્લાના માણગાંવ પાસે આજ સવારે એસ.ટી.ની શિવશાહી બસ અને રિક્ષા વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ જણના મોત થયા હતા. શિવશાહી બસે રિક્ષાને અડફેટમાં લેતા આ દુર્ઘટના બની હતી આ અકસ્માતમાં રિક્ષાનો ખુડદો બોલાઇ ગયો હતો. આ ઘટનામાં અમૂક પ્રવાસીઓ પણ જખમી થયા હતા. આ અકસ્માત આજે સવારે ૧૧.૩૦ વાગ્યે માણગાવ પાસેના તિલોરે ગામ નજીક થયો હતો.

આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ પ્રવાસીના મોત થયા હતા જેમા દત્તાત્રય વરણદેકર, પ્રવિણ માલુસરેનો સમાવેશ થાય છે જ્યારે ત્રીજી વ્યક્તિની ઓળખ થઇ શકી નથી.

એસ.ટી.ની શિવશાહી બસ થાણેથી દાપોલી જઇ રહી હતી. આ બસ જ્યારે માણગાવ પાસે આવી ત્યારે આ અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો ખુદડો બોલી ગયો હતો અને બસને પણ ઘણું નુકસાન થયું હતું. આ ઘટનામાં ત્રણ જણના મોત થયા હતા જ્યારે બસમાં સવાર અમૂક પ્રવાસીઓને પણ ઈજા પહોંચી હતી. 



Google NewsGoogle News