નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો 1 - image


જૂઈનગરમાં 2.34 લાખનો હાર ગાયબ

મુંબઈ  - મુંબઈ સહિત રાજ્યભરમાં શ્રદ્ધાપૂર્વક ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી બાજુ નવી મુંબઈમાં ગણપતીને પહેરાવવામાં આવેલો ૨.૩૪ લાખની કિંમતનો સોનાનો હાર કોઈ ચોરી ગયું હતું.

નવી મુંબઈના જૂઈ નગરમાં રહેતા સૂર્યકાંત વાડકરે ઘરે ગણપતીની સ્થાપના કરી હતી અને મૂર્તિના ગળામાં ૭૮ ગ્રામ સોનાનો હાર પહેરાવ્યો હતો. આ દરમિયાન સત્યનારાયમની પૂજા રાખી હોવાથી ઘણા લોકો દર્શને આવ્યા હતા. આમાંથી કોઈક ભીડનો લાભ લઈ હાર તફડાવી પલાયન થઈ ગયું હતું.

બીજે દિવસે હાર ચોરાયો છે તેની જાણ થતા નેરૃળ પોલીસ સ્ટેશનમાં વાડકરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ ચાલું છે.



Google NewsGoogle News