47 વર્ષના શ્રેયસ તળપદેને હાર્ટ એટેક બાદ એન્જિયોપ્લાસ્ટી

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
47 વર્ષના શ્રેયસ તળપદેને હાર્ટ એટેક બાદ એન્જિયોપ્લાસ્ટી 1 - image


વેલકમ ટૂ જંગલના શૂટિંગ બાદ હાર્ટ એટેક

ઘરેથી હોસ્પિટલ લઈ જવાતી વખતે ઢળી પડયો, 10 મિનીટ માટે હાર્ટ બંધ થઈ ગયું

મુંબઇ :  એક્ટર શ્રેયસ તળપદેને ગુરુવારની મોડી સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેના પર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેની પત્નીના જણાવ્યા અનુસાર શ્રેયસની હાલત હવે સ્થિર છે. 

શ્રેયસે ગઈકાલે આખો દિવસ અક્ષય કુમાર સહિતના કલાકારો સાથે 'વેલકમ ટૂ ધી જંગલ' ફિલ્મનું શૂટિંગ કર્યુ હતું. બાદમાં તે ઘરે પહોંચ્યો હતો. ઘરે તેણે પત્નીને કહ્યું હતું કે પોતાને અસ્વસ્થતાનો અનુભવ થઈ રહ્યો છે. પત્ની દીપ્તી તરત જ તેને લઈ હોસ્પિટલ તરફ હંકારી ગઈ હતી. 

જોકે, માર્ગમાં જ શ્રેયસ બેભાન થઈ ગયો હતો. ૧૦ મિનીટ માટે તેનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું હતું. સદનસીબે હોસ્પિટલમાં તેને તત્કાળ સારવાર મળી ગઈ હતી. તબીબોેએ તત્ક્ષણ એન્જિયોપ્લાસ્ટિનો નિર્ણય કર્યો હતો. 

દીપ્તીએ શુક્રવારે એક નિવેદન પ્રગટ કરતાં કહ્યું હતું કે શ્રેયસની તબિયત હવે સુધારા પર છે. 

શ્રેયસ 'ઈકબાલ' ફિલ્મથી ચર્ચામાં આવ્યો છે. ત ેપછી 'ઓમ શાંતિ ઓમ' સહિતની કેટલીય ફિલ્મોમાં તેનો અભિનય વખણાયો છે.



Google NewsGoogle News