ભીમાશંકર જતા દર્શનાર્થીઓની કાર વૃક્ષ સાથે ટકરાતાં 3નાં મોત

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
ભીમાશંકર  જતા દર્શનાર્થીઓની કાર વૃક્ષ સાથે ટકરાતાં 3નાં મોત 1 - image


શ્રાવણના પહેલા સોમવારે દર્શને જતા હતા

કલ્યાણ-ટીટવાલાના યુવકોની કારને માલશેજ ઘાટમાં અકસ્માતઃ 3 ઘાયલ

મુંબઈ : કલ્યાણથી ભીમાશંકર દેવ દર્શન માટે જઈ રહેલા મિત્રોની કાર માલશેજ ઘાટમાં વૃક્ષ સાથે અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હતી.

શ્રાવણના સોમવાર હોવાથી ભીમાશંકરમાં દેવદર્શન માટે છ મિત્ર કારમાં જઈ રહ્યા હતા. તેઓ ગઈકાલે રાતે કલ્યાણથી નીકળ્યા હતા. કલ્યાણ- અહમદનગર રસ્તા પર માલશેજ ઘાટમાં ચાલકે કાર ટર્ન લેતી વખતે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. કાર એક વૃક્ષ સાથે ટકરાઈ હતી. 

કારમાં પ્રવાસ કરતા અશ્વિન ભોઈર, પ્રતીક ચોરગે, નરેશ મ્હાત્રેનું ગંભીર ઈજા થતા મોતને ભેટયા હતા. મૃતકમાંથી બે જણ કલ્યાણ  (પૂર્વ)ના ચિંચપાડા પરિસરમાં જ્યારે એક યુવક ટિટવાલા નજીક ગોવેલી વિસ્તારમાં રહેતો હતો. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ મિત્રને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં એકની તબીયત નાજુક હોવાનું કહેવાય છે.

પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.



Google NewsGoogle News