મોરબીમાં વિધર્મી શખ્સે પુજારીને અપશબ્દો બોલીને મંદિર પર પથ્થરમારો કર્યો, પોલીસે અટકાયત કરી
મોરબીના રાધાકૃષ્ણ મંદિરના પુજારીની પત્નીને પણ આરોપીએ પથ્થર માર્યા
પથ્થર મારાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
મોરબીઃ (Morbi)વાઘપરાના રાધાકૃષ્ણ મંદિર પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. (Vaghpara)આજે વહેલી સવારે આરતીના ટાઈમે એક શખ્સ દ્વારા મંદિર પર પથ્થરમારો કરાયો હતો.(stone throw)આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો રોષે ભરાયા હતાં. વાયુવેગે ઘટનાના સમાચાર વહેતા થતાં પોલીસનો કાફલો પણ મંદિરે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. (police) પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 26 વર્ષના મોહસીન મામદ કુરેશી નામના આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. (radha krishna temple) આ સમગ્ર પથ્થરમારાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવીમાં પણ આ ઘટના કેદ થઈ ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીના વાઘપરામાં રાધાકૃષ્ણ મંદિરે આજે વહેલી સવારે આરતીના સમયે મોહસીન નામના શખ્સે મંદિરના પૂજારી સાથે બબાલ કરીને અપશબ્દો બોલ્યા હતાં. તેણે ઉશ્કેરાઈને પૂજારી અને તેમના પત્ની પર પણ પથ્થરમારો કર્યો હતો. પૂજારીના પત્નીએ મંદિરનો દરવાજો બંધ કરતાં તેણે મંદિરના દરવાજા પર પણ પથ્થર માર્યા હતાં. મોહસીને અપશબ્દો બોલીને મંદિરે આવતા લોકોને સળગાવી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈને મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા લોકો રોષે ભરાયા હતાં. આ ઘટનાની જાણ મોરબી પોલીસને થતાં જ પોલીસનો કાફલો મંદિરે દોડી ગયો હતો. સીસીટીવીમાં પણ આ ઘટના કેદ થઈ ગઈ હતી. પોલીસે 26 વર્ષના મોહસીન મામદ કુરેશી નામના આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.