અમૃત વાણી .
- ગાય ઘાસ ખાય છતાં તેમાંથી દૂધ બનાવે, સાપ દૂધ પીએ છતાં તેમાથી ઝેર બનાવે આ સજ્જન અને દુર્જનનો તફાવત છે.
- ચોખાના દાણા કંકુમાં ભળે તો કેટલાય રાજા-મહારાજાઓને નમાવી દે પણ એજ ચોખાના દાણા મગની સાથે ભળે તો પોતાના રૂપરંગ તમામને ખોઈ બેસે અને લોકો તેને ''ખિચડી'' કહીને વગોવે
- કોલસાને વેપારી ક્યારેય ઝવેરાતના ધંધા અંગે અભિપ્રાય આપતો નથી.
- જવાબદારી ભર્યા સ્થાને બેઠેલાની ''ચાલશે'' ની મનોવૃત્તિ ભૂખ્યા સિંહના પાંજરામાં પ્રવેશ કરવા જેવી પુરવાર થાય છે.
- માં પાસેથી સંસ્કાર નથી શિખવા તો બિલાડીના અવતારમાં માં એવી મળશે કે ઊંદર કેવી રીતે મારવા તે શિખવશે.
- ટી.બી. એ જો શરીરનો રોગ છે તો અહંકાર એ આત્માનો રાજરોગ છે.
- આળસ એ આરામ નથી, કંજુસાઈ એ કરકસર નથી અને ઊડાઉપણું એ ઉદારતા નથી.
- સેંકડો મિષ્ટાન્નો ખાધા છતાં જીભ ચીકણી થતી નથી તેમ અનેક ભોગ ભોગવ્યા છતાં મન ધરાતું નથી.
- એ જ મનુષ્ય સુખી છે જેની પાંસે સદ્બુધ્ધિ અને વિવેક હોય છે.
- વિદૂરજીના પુણ્યથી કૌરવો સુખી હતા, વિભિષણના પુણ્યથી રાવણ સુખી હતો પરંતુ તેમને હાંકી કાઢયા પછી કૌરવો અને રાવણનો વિનાશ થયો. પુણ્યનું રક્ષણ જતું રહ્યું.
- અનીતિનું હસીને લે છે એને રડીને કાઢવું પડે છે.
- કર્મની ગતિ આગળ માળા કે ગ્રહોના નંગ કામ નથી આવતા
- સુતા જગાડયા સંત ભલા, લેવડાવે રામનું નામ, પણ ત્રણ મત જગાડજો, સિંહ, દીપડોને સાંપ.
- આજે દિવસ છે એમનો, કાલે તમારો આવશે, પ્રારબ્ધ આગળ કોઈ, ફાવ્યો નહિ કે ફાવશે.
- સંત, સપૂત અને તુંબડા, ત્રણેય એક જ સ્વભાવ, તારે પણ બોળે નહિ, જેને તાર્યા ઉપર ભાવ.
- મન રાખો મજબૂત, જગતને કોઈ નહિ જીતે, બહુ બોલે તો કહે બાબરો, કમ બોલે કપટી.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ