Get The App

અમૃત વાણી .

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
અમૃત વાણી                                                      . 1 - image


- ગાય ઘાસ ખાય છતાં તેમાંથી દૂધ બનાવે, સાપ દૂધ પીએ છતાં તેમાથી ઝેર બનાવે આ સજ્જન અને દુર્જનનો તફાવત છે.

- ચોખાના દાણા કંકુમાં ભળે તો કેટલાય રાજા-મહારાજાઓને નમાવી દે પણ એજ ચોખાના દાણા મગની સાથે ભળે તો પોતાના રૂપરંગ તમામને ખોઈ બેસે અને લોકો તેને ''ખિચડી'' કહીને વગોવે

- કોલસાને વેપારી ક્યારેય ઝવેરાતના ધંધા અંગે અભિપ્રાય આપતો નથી.

- જવાબદારી ભર્યા સ્થાને બેઠેલાની ''ચાલશે'' ની મનોવૃત્તિ ભૂખ્યા સિંહના પાંજરામાં પ્રવેશ કરવા જેવી પુરવાર થાય છે.

- માં પાસેથી સંસ્કાર નથી શિખવા તો બિલાડીના અવતારમાં માં એવી મળશે કે ઊંદર કેવી રીતે મારવા તે શિખવશે.

- ટી.બી. એ જો શરીરનો રોગ છે તો અહંકાર એ આત્માનો રાજરોગ છે.

- આળસ એ આરામ નથી, કંજુસાઈ એ કરકસર નથી અને ઊડાઉપણું એ ઉદારતા નથી.

- સેંકડો મિષ્ટાન્નો ખાધા છતાં જીભ ચીકણી થતી નથી તેમ અનેક ભોગ ભોગવ્યા છતાં મન ધરાતું નથી.

- એ જ મનુષ્ય સુખી છે જેની પાંસે સદ્બુધ્ધિ અને વિવેક હોય છે.

- વિદૂરજીના પુણ્યથી કૌરવો સુખી હતા, વિભિષણના પુણ્યથી રાવણ સુખી હતો પરંતુ તેમને હાંકી કાઢયા પછી કૌરવો  અને રાવણનો વિનાશ થયો. પુણ્યનું રક્ષણ જતું રહ્યું.

- અનીતિનું હસીને લે છે એને રડીને કાઢવું પડે છે.

- કર્મની ગતિ આગળ માળા કે ગ્રહોના નંગ કામ નથી આવતા

- સુતા જગાડયા સંત ભલા, લેવડાવે રામનું નામ, પણ ત્રણ મત જગાડજો, સિંહ, દીપડોને સાંપ.

- આજે દિવસ છે એમનો, કાલે તમારો આવશે, પ્રારબ્ધ આગળ કોઈ, ફાવ્યો નહિ કે ફાવશે.

- સંત, સપૂત અને તુંબડા, ત્રણેય એક જ સ્વભાવ, તારે પણ બોળે નહિ, જેને તાર્યા ઉપર ભાવ.

- મન રાખો મજબૂત, જગતને કોઈ નહિ જીતે, બહુ બોલે તો કહે બાબરો, કમ બોલે કપટી.

- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ


Google NewsGoogle News