NRI પતિની પત્નીએ લગ્નના ૨૪ દિવસમાં જ આપઘાત કર્યો

યુવાન પરિણીતાના આપઘાતના રહસ્ય અંગે પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
NRI પતિની પત્નીએ લગ્નના ૨૪ દિવસમાં જ આપઘાત કર્યો 1 - image

વડોદરા, તા.20 શહેરના અટલાદરા વિસ્તારમાં એનઆરઆઇ યુવકના લગ્નના ૨૪માં દિવસે જ પત્નીએ ફ્લેટના ચોથા માળેથી રહસ્યમય સંજોગોમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

આ અંગેની વિગત એવી છે કે દર્શન દિપકભાઇ પટેલ અમેરિકા સ્થાયી થયેલ છે. તે અમેરિકાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લગ્ન કરવા માટે અમેરિકાથી વડોદરા આવ્યા બાદ તેના લગ્ન આયુષી (ઉ.વ.૨૫) સાથે તા.૨૮ જુલાઇના રોજ થયા હતાં. લગ્ન બાદ આયુષી તેના એનઆરઆઇ પતિ દર્શન સાથે અટલાદરા વિસ્તારમાં આર્યા એમ્પાયરની બાજુમાં અક્ષર પ્રાઇડ ખાતે રહેતી હતી.

ગઇરાત્રે દર્શને કંપની માટે આખી રાત કામ કર્યું હતું અને વહેલી સવારે ચાર વાગે તે ઊંઘી ગયો હતો. બાદમાં સવારે સાડા સાત વાગ્યાની આસપાસ પાડોશીએ તેને જગાડી જણાવેલ કે પત્ની ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પડી ગઇ છે. આ વાતની જાણ થતાં જ દર્શન નીચે દોડી આવ્યો હતો અને જોયું તો પત્ની લોહીંલુહાણ હાલતમાં પડેલી હતી. આ બનાવ અંગે અટલાદરા પોલીસે અક્સ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. લગ્નના ૨૪ દિવસમાં જ યુવતીએ ક્યા કારણોસર જીવન ટૂંકાવવાની જરૃર પડી તે અંગે રહસ્ય ઘેરાયેલું છે.




Google NewsGoogle News