વડોદરાની ગોરવા કેનાલમાં પૂજાપાનો સામાન પધારવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
વડોદરાની ગોરવા કેનાલમાં પૂજાપાનો સામાન પધારવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત 1 - image

વડોદરા,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર

ગોરવા કેનાલમાં પૂજાપાનો સામાન પધારવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. તેનો મૃતદેહ બીજા દિવસે શેરખી નજીકથી મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર વડોદરા તાલુકાના કરોડિયા ગામની રૂક્ષ્મણી રેસિડેન્સીમાં રહેતા 33 વર્ષના દેવવ્રત કૃષ્ણશંકર દેવ નવમી તારીખે બપોરે 2:30 વાગ્યે વિસ્તારમાં પંચવટી નર્મદા કેનાલમાં પૂજાપાનો સામાન પધારવા માટે ગયા હતા ત્યારે આકસ્મિક રીતે વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. દેવ વ્રત તણાયાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તેથી નર્મદા કેનાલના પાણીને ડહોળયા હતા. બાદ ગત સવારે શેરખી વિરોધ નગર સીમમાંથી દેવનો મૃતદેહ મળી આવ્યો હતો. કબજો લઈ તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી હોવાનું તપાસ અધિકારી રણજીતસિંહ સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું.


Google NewsGoogle News