દુષ્કર્મના ગુનામાં જેલમાંથી બહાર આવેલા યુવાને ફરી બળાત્કાર કર્યો

અશરફને જેલમાંથી જામીન મળ્યા બાદ તે પરત જેલમાં ગયો નહી અને ફરી બીજી સગીરા પર દુષ્કર્મ આચર્યું

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
દુષ્કર્મના ગુનામાં જેલમાંથી બહાર આવેલા યુવાને ફરી બળાત્કાર કર્યો 1 - image

વડોદરા, તા.3 બળાત્કારના ગુનામાં સજા ભોગવતો યુવાન પેરોલ પર જેલમાંથી છૂટીને ફરીથી એક સગીરાને ભગાડી તેના પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ જતાં આખરે ફરી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે તરસાલી વિસ્તારમાંથી સાડા તેર વર્ષની એક સગીરાનું તેના ઘરમાંથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં તા.૨૭ મેના રોજ નોંધાઇ હતી. આ ફરિયાદ બાદ પોલીસ દ્વારા સગીરાનું અપહરણ કરનાર શખ્સની તપાસ હાથ ધરતાં સગીરાનો સંબંધી અશરફ અભેસીગ રાજ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાદમાં અભેસીંગને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી. અભેસીંગે સગીરા પર ત્રણથી ચાર વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખૂલ્યું હતું.

પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે વર્ષ-૨૦૨૧માં એક સગીરાનું અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારવાના પોક્સોના આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. આંકલાવ પોલીસ દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટના આધારે અશરફને સજા થતાં તેને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો હતો અને થોડા દિવસો પહેલાં જ તે પેરોલ મેળવી જેલની બહાર આવ્યો હતો પરંતુ નક્કી કરેલા સમય મુજબ તે જેલમાં હાજર થયો ન હતો અને બીજો દુષ્કર્મનો ગુનો કર્યો હતો. તેની સામે અગાઉ દુષ્કર્મ તેમજ પેરોલ જમ્પનો ગુનો દાખલ થયા બાદ બીજો ફરીથી દુષ્કર્મનો ગુનો નોધાયો હતો.




Google NewsGoogle News