કુટુંબ નિયોજન ઓપરેશન પછી પરિણીતાનું મોત : ડોક્ટરની નિષ્કાળજીનો પરિવાર દ્વારા આક્ષેપ

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
કુટુંબ નિયોજન ઓપરેશન પછી પરિણીતાનું મોત : ડોક્ટરની નિષ્કાળજીનો પરિવાર દ્વારા આક્ષેપ 1 - image

image : Freepik

વડોદરા,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

પંચમહાલ જિલ્લાના ગોવિંદપુરી ગામની પરિણીતાએ સપ્તાહ પૂર્વે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારબાદ પોતાના ઘરે તેમને ઉલટીઓ થવા માંડી હતી અને મોત નીપજ્યું હતું. પરિવારજનોએ ઓપરેશન બરાબર ન કર્યું હોવાનો તબીબો સામે આક્ષેપ કર્યો હતો. તેથી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મૃતદેહ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામની 34 વર્ષીય મીનાબેન ચરણસિંહ સોલંકીએ ગત 21મી તારીખે હાલોલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. મીનાબેનને પોતાના ઘરે તેમને ઉલટીઓ થવા માંડી હતી. અને મોત નીપજ્યું હતું. તેથી તબીબની ભૂલ હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં સ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હાલોલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે


Google NewsGoogle News