અગાઉ થયેલા ઝઘડાની અદાવતે મારામારી થતા પાઇપથી હુમલો

બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
અગાઉ થયેલા ઝઘડાની અદાવતે મારામારી થતા  પાઇપથી  હુમલો 1 - image

,સયાજીગંજમાં નજીવી બાબતે મારામારી થતા પાઇપ અને સળિયાથી હુમલો કરવામાં આવતા સામસામે ફરિયાદ નોંધાઇ છે.

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં મહારાજા નગરમાં રહેતો સાહિલ શ્રવણભાઇ ભારદ્વાજ જેતલપુર રોડ પર સેન્ડવીચની લારી ચલાવે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે હું મારી લારી પર હતો. તે સમયે સુરેશ જાદવ અને પપ્પુ તથા અન્ય એક વ્યક્તિ મારી લારી પર આવ્યા હતા.  તેઓએ મને જણાવ્યું હતું કે, તમારી ત્યાં વિકાસ નામનો છોકરો છે. તેની સાથે બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. તેમાં સમાધાન થઇ ગયા પછી પણ ગાળો બોલે છે. તેવું કહીને તેઓ ઝઘડો કરવા લાગ્યા હતા. અમે ઝઘડો કરવાની ના  પાડતા તેઓ ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગતા મેં પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરવાનું કહેતા તેઓ ભાગી ગયા હતા. ત્યારબાદ રાતે સાડા અગિયાર વાગ્યે હું ઘરે જતો હતો. તે સમયે સુરેશ અને પપ્પુ જાદવે લોખંડના સળિયા તથા પાઇપ વડે  હુમલો કર્યો હતો.

જ્યારે સામા પક્ષે વિજેન્દ્રકુમાર ઉર્ફે  પપ્પુ દ્વારકાપ્રસાદ પાંડેએ સાહિલ અને અભિષેક સામે હુમલાની તથા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News