વડોદરાતાલુકાના યુવા સામાજિક કાર્યકરના અન્ય યુવતી સાથેના સબંધના મુદ્દે તકરાર થતાં પત્નીને માર માર્યો

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News
વડોદરાતાલુકાના યુવા સામાજિક કાર્યકરના અન્ય યુવતી સાથેના સબંધના મુદ્દે તકરાર થતાં પત્નીને માર માર્યો 1 - image

વડોદરાઃ વડોદરા તાલુકાના યુવા સામાજિક કાર્યકર ભગીરથસિંહ ઉર્ફે લખન દરબાર સામે તેમના પત્નીએ ફરિયાદ નોંધાવતા જવાહરનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

ઉંડેરારોડ પર જલાનંદ ટાઉનશિપમાં રહેતા અસ્મિતાબેને પોલીસને કહ્યું છે કે,મારા પતિ ભગીરથસિંહ પરમાર તા.૧૨મીએ આખો દિવસ રાજકારણમાં રોકાયેલા હતા. રાતે તેઓ ઘેર આવ્યા ત્યારે વોશરૃમમાં જતા મેં તેમના કપડાં બાજુએ મુક્યા હતા.જે વખતે તેમના કપડાંમાંથી માંજલપુરની વેસ્ટસાઇડનું બિલ મળ્યું હતું.

આ બિલ  બાબતે મારા પતિએ સરખો જવાબ આપ્યો નહતો.જેથી તેમના કોઇ બીજી સ્ત્રી સાથે સબંધ હોવાની શંકાને ખાતરી થઇ હતી.મેં બિલ મારી પાસે રાખતાં તેમણે બિલ માંગી મને માર માર્યો હતો અને ગાળો ભાંડી કારમાં જઇને બેસી ગયા હતા.હું તેમને સમજાવવા ગઇ ત્યારે તેઓ કોઇ યુવતી સાથે વાત કરતા હતા.લોકો ભેગા થઇ જતાં તેમને મને માર માર્યો હતો અને મરી જવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા.જવાહરનગર પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News