પિયરથી પત્ની પરત ફરી તો એક જ બેડ પર પતિ-દેરાણી સૂતા હતાં

દેરાણી સાથેના સંબંધો ખુલ્લા પડી જતાં ધમાસાણ ઃ પતિએ પત્નીને લાકડીથી માર માર્યો

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
પિયરથી પત્ની પરત ફરી તો એક જ બેડ પર પતિ-દેરાણી સૂતા હતાં 1 - image

વડોદરા, તા.19 સાવલી તાલુકાના એક ગામમાં રહેતી આંગણવાડી કાર્યકર બે દિવસ પિયર રહીને પરત ઘેર ફરી ત્યારે તેનો પતિ દેરાણી સાથે એક બેડ પર જ ઝડપાઇ જતાં ઉશ્કેરાયેલા પતિએ આંગણવાડી કાર્યકરને ઢોર માર મારતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

ભાદરવા પોલીસ સ્ટેશનમાં ૩૫ વર્ષની પ્રિયાબેન નામની મહિલાએ તેના પતિ ગોવિંદભાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું આંગણવાડીમાં છેલ્લા ૧૦ વર્ષથી નોકરી કરું છું. મારા લગ્ન ૧૨ વર્ષ પહેલાં ગોવિંદ સાથે થયા હતાં અને હાલમાં એક પુત્ર ૧૧ વર્ષની વયનો છે. તા.૧૫ના રોજ મને નોકરીમાં રજા હોવાથી મેં પતિને જણાવેલ કે મારી બહેન બીમાર છે તો હું તેની ખબર કાઢવા સુંદલપુરા જઇ આવું છું ત્યારે પતિ મને અને મારા પુત્રને સુંદલકુવા મૂકવા આવ્યા  હતા અને જણાવેલ કે તું બે દિવસ રહીને આવજે.

બે દિવસ પિયર રહીને હું તા.૧૭ના રોજ સવારે મારી સાસરીમાં મારા પુત્ર સાથે આવી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી મેં ખખડાવતાં મારી દેરાણીના નાના પુત્રએ દરવાજો ખોલ્યો  હતો. બાદમાં હું અંદર ગઇ ત્યારે મારા પતિ અને દેરાણી બંને એક જ રૃમમાં એક જ બેડમાં સાથે ઊંઘતા જણાયા હતાં. મને મારા પતિના મારી દેરાણી સાથેના આડા સંબંધની જાણ થઇ જતાં પતિ રોષે ભરાયો હતો અને તું સાંજે ઘેર આવવાની હતી, અત્યારે કેમ આવી ગઇ તેમ કહી મારી સાથે ઝઘડો કરી પતિએ મને માર માર્યો હતો.

પતિના ત્રાસથી કંટાળી મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પરંતુ સમાધાન થતાં અરજી મેં પાછી ખેંચી લીધી હતી. બાદમાં રાત્રે નવ વાગે પતિ દારૃ પીને આવ્યો હતો અને મારે બીજો કોઇ પુરુષ સાથે આડા સંબંધ છે તેવા આક્ષેપો કરી મારી સાથે ફરી ઝઘડો કરી લાકડીથી માર માર્યો  હતો અને જો તુ અહીં રહીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. સવારે હું મારા પુત્ર સાથે ફરી સુંદલપુરા જતી રહી હતી.


Google NewsGoogle News