વડોદરા : પોલીસની હત્યાનો પ્રયાસ કરનાર શંકરપુરાના સરપંચને પદ પરથી દૂર કરવા ટીડીઓને પત્ર

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
વડોદરા : પોલીસની હત્યાનો પ્રયાસ કરનાર શંકરપુરાના સરપંચને પદ પરથી દૂર કરવા ટીડીઓને પત્ર 1 - image


- પોલીસ પર હુમલો કર્યા બાદ સરપંચના બંને બુટલેગર પુત્ર સહિત ત્રણ જણા હજી ફરાર

વડોદરા,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર

વડોદરા નજીક શંકરપુરા ગામમાં ગઈ મોડીરાત્રે દારૂની રેડ કરવા ગયેલી જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ઉપર ગામના સરપંચ અને તેમના બે બુટલેગર પુત્રોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક હેડ કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ થયો હતો. જો કે અન્ય પોલીસ આવી જતા બુટલેગરો ભાગી ગયા હતા. જ્યારે બંને બુટલેગરોના પિતા અને સરપંચ મહેશભાઈ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. દરમિયાન મહેશ ગોહિલને સરપંચપદ પરથી હટાવવા માટે પોલીસે તાલુકા વિકાસ અધિકારીને પણ પત્ર લખી જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે.

વધુ વાંચો : વડોદરાના શંકરપુરામાં સરપંચ અને તેના બે બુટલેગર પુત્રોનો પોલીસની હત્યાનો પ્રયાસ


Google NewsGoogle News