જર્જરિત મકાનોની અવેજીમાં લાભાર્થીઓને નવા મકાન આપવા કોંગ્રેસની માંગ, થોડા જ દિવસો પહેલા થયું હતું મહિલાનું કરૂણ મોત

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
જર્જરિત મકાનોની અવેજીમાં લાભાર્થીઓને નવા મકાન આપવા કોંગ્રેસની માંગ, થોડા જ દિવસો પહેલા થયું હતું મહિલાનું કરૂણ મોત 1 - image


Vadodara News : વડોદરા જાંબુઆ ખાતે બીએસયુપી હાઉસિંગના જર્જરિત મકાનમાં મહિલાના થયેલા કરૂણ મોત અંગે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ. કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. 

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત વિરોધ પક્ષના સિનિયર કોંગી કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ, કોંગી મહિલા કોર્પોરેટર અમીર રાવત સહિત અન્ય કોંગી અગ્રણીઓએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જાંબુઆ ખાતે આવેલા બીએસયુપીના જર્જરિત મકાનો પૈકી એક મકાનનો પોપડો પડતા ઘરમાં એક મહિલાના થયેલા કરુણ મોત અંગે લાભાર્થીઓને જર્જરિત મકાનો પૈકી વૈકલ્પિક જગ્યા આપવા અને અન્ય નવા મકાનો બનાવી આપવા પાલિકા મ્યુનિસિપલ કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે.


Google NewsGoogle News