વડોદરામાં વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે કરંટ લાગવાથી યુવકનું મોત

Updated: May 25th, 2024


Google NewsGoogle News
વડોદરામાં વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે કરંટ લાગવાથી યુવકનું મોત 1 - image

Vadodara News : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે 21મી તારીખે વીજ કરંટ લાગતા સારવાર માટે ખસેડવામાં આવેલા યુવકનું મોત નીપજ્યું હતું. 

વાઘોડિયા તાલુકાના ગોરજ ગામના યુનિવર્સલ બંગલોની સાઈડ પર દીપાબેન મુનિયા સાથે મજૂરી કામ માટે આવેલા નાહટીયા કરસન મુનિયા ઉમર 28, ગત 21 મી તારીખે સવારે 8:00 વાગે લેન્ટર ભરવા માટે લગાવેલા પાટિયા કાઢતા હતા. દરમિયાન લોખંડની ધરી કાઠીયાવાડી કાઢવા જતા વીજ લાઈનને અડી જતા કરંટ લાગ્યો હતો. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો.


Google NewsGoogle News