વડોદરા : તળાવમાં નાહવા માટે કુદેલા યુવકને ઈજા થતા મોત

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
વડોદરા : તળાવમાં નાહવા માટે કુદેલા યુવકને ઈજા થતા મોત 1 - image

image : freepik

વડોદરા,તા.2 ઓક્ટોબર 2023,સોમવાર

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાવનગરપુરા ગામના તળાવમાં નાહવા કુદેલા લીલોરા ગામના યુવકનું તળાવમાં ઓછું પાણી હોવાથી મૂઢમારથી મોત નીપજ્યું હતું.

 વાઘોડિયા તાલુકાના લીલોરા ગામની નવીનગરીમાં રહેતા 40 વર્ષીય દિલીપ રઈજી રાઠોડિયા 25મી તારીખે બપોરે 3:30 વાગ્યે ગામના ભાવનગરપુરા તળાવમાં નાહવા માટે ગયા હતા અને તળાવની સુરક્ષા દીવાલ પરથી પાણીમાં કુદ્યા હતા. પરંતુ તળાવમાં પાણી ઓછું હોવાથી પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.


Google NewsGoogle News