લોનના હપ્તા સમયસર ચૂકવી નહીં શકતા ફાંસો ખાઇને આપઘાત

માણેજા વિસ્તારમાં રહેતા યુવાને પંખા પર લટકીને ફાંસો ખાઇ લીધો

Updated: May 16th, 2024


Google NewsGoogle News
લોનના હપ્તા સમયસર ચૂકવી નહીં શકતા ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા,લોનના હપ્તા સમયસર ચૂકવી નહીં શકતા ટેન્શનમાં રહેતા ૪૮ વર્ષના શ્રમજીવીએ અગાશી પર જઇને ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.

શહેર નજીકના પદમલા ગામે  રહેતા  અને મજૂરી કામ કરતા ૪૮ વર્ષના પ્રકાશભાઇ રતિલાલભાઇ પરમારે ગઇકાલે રાતે મકાનની અગાશી પર ડિશ ટી.વી.ના લોખંડના  પાઇપ સાથે ઓઢણી વડે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે છાણી પોલીસ સ્ટેશનના હે.કો. નટવરસિંહે તપાસ હાથ ધરતા એવી વિગતો જાણવા મળી  હતી કે, પ્રકાશભાઇએ ત્રણ સ્થળેથી લોન લીધી હતી. તે લોનના હપ્તા તેઓ સમયસર ચૂકવી નહીં શકતા ટેન્શનમાં રહેતા  હતા. તેના કારણે તેમણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.

જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, માણેજા શિવાલિક રેસિડેન્સીમાં રહેતો ઉમેશ હસમુખભાઇ પરમાર ( ઉં.વ.૩૧) ખાનગી કંપનીમાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેની પત્ની પિયર ગઇ હતી. ગઇકાલે મોડી રાતે પોતાના ઘરે  પંખા પર લટકીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું.  મકરપુરા પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News