લગ્ન નહીં થતા હતાશ યુવાનનો ફાંસો ખાઇને આપઘાત

હોળી - ધુળેટી કરવા ભાઇના ઘરે આવેલા યુવકે જીવન ટૂંકાવી દીધું

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
લગ્ન નહીં થતા હતાશ યુવાનનો ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા,હોળી ધુળેટી કરવા માટે ભાઇના ઘરે આવેલા ૨૬ વર્ષના યુવાને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે જવાહર નગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પવનેશ રામચંદ્ર રામખરવારે દહેજમાં ડ્રાઇવિંગનું કામ કરે છે. હોળી - ધુળેટીનો તહેવાર હોવાથી તે વડોદરા  બાજવા કોયલી રોડ યાદવ કોલોનીમાં રહેતા ભાઇના ઘરે આવ્યો હતો. પરિવારજનો નજીકમાં રહેતા કાકાના ઘરે ગણેશ નગરમાં  ગયા હતા. તેઓ પરત  આવ્યા ત્યારે પવનેશે ફાંસો ખાઇ લીધો હતો. તેને નીચે ઉતારીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. બનાવ અંગે જવાહર નગર  પોલીસ સ્ટેશનના હે.કો. ભવનસીંગે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, મૃતકના લગ્ન માટે બે થી ત્રણ માંગા આવ્યા હતા. પરંતુ, તેનું લગ્ન નક્કી થયું નહતું. જેથી, નિરાશ થઇને તેણે આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે.  



Google NewsGoogle News