સયાજીમાં કોરોનાના નવા બે દર્દીઓ સારવાર માટે દાખલ

એક દર્દીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો : સ્વાઇન ફ્લૂનો એક દર્દી સારવાર હેઠળ

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News

 સયાજીમાં કોરોનાના નવા બે દર્દીઓ સારવાર માટે દાખલ 1 - imageવડોદરા,સયાજી હોસ્પિટલમાં કોરોનાના નવા બે દર્દી સારવાર માટે દાખલ થયા છે. જ્યારે એક અન્ય દર્દીમાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં કોરોનાના છ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા બે દર્દીઓ સારવાર માટે આવતા તેઓને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે એક દર્દીના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ પેન્ડિંગ છે. સયાજી હોસ્પિટલમાં  હાલ છ  દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ચાર દર્દીઓ ઓક્સિજનના સપોર્ટ પર છે. જ્યારે સ્વાઇન ફ્લૂના સારવાર લેતા બે પૈકી એક દર્દીની તબિયતમાં સુધારો થતા તેને રજા આપી દેવામાં આવી છે.


Google NewsGoogle News