ચોવીસ કલાકમાં વધુ બે વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત

ક્લબના મેનેજર રાતે સૂઇ ગયા પછી સવારે ઉઠયા જ નહીં

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
ચોવીસ કલાકમાં વધુ બે વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત 1 - image

વડોદરા.સેવાસી વિસ્તારની પ્રેસિડેન્સી ક્લબના મેનેજર તથા સ્કૂલ વર્ધી ચલાવતા બે વ્યક્તિઓના ચોવીસ કલાક દરમિયાન હાર્ટ એટેકથી મોત થયા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તરસાલી આઇ.ટી.આઇ. પાસે વિશાલ નગરમાં રહેતા ૫૧ વર્ષના ભરતભાઇ ઇશ્વરભાઇ પરમાર સ્કૂલ વર્ધીની વાન ચલાવે છે. ગઇકાલે રાતે પોણા દશ વાગ્યે તેઓને છાતીમાં દુખાવો તથા ચક્કર આવતા બેભાન થઇ  ગયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ,   તેઓનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વાસણા  રોડ સંઘાણી સ્કાયમાં રહેતા સમીર મહેશભાઇ કોલ (ઉ.વ.૫૩)સેવાસી વિસ્તારની પ્રેસિડેન્સી ક્લબમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. ગઇકાલે રાતે સૂઇ ગયા પછી સવારે તેઓ બેભાન અવસ્થામાં મળી આવતા તેમનો પુત્ર સારવાર માટે સયાજી હોસ્પિલમાં લઇ આવ્યો હતો. પરંતુ, તેમનો જીવ બચી શક્યો નહતો. તેમનું મોત હાર્ટે એટેકના કારણે થયું હોવાની શક્યતા છે.


Google NewsGoogle News