પ્રેમલગ્ન કરનાર પરિણીતા પર દહેજ અને શંકાશીલ સ્વભાવને કારણે અત્યાચારના બે કિસ્સા નોંધાયા

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
પ્રેમલગ્ન કરનાર પરિણીતા પર દહેજ અને શંકાશીલ સ્વભાવને કારણે અત્યાચારના બે કિસ્સા નોંધાયા 1 - image

વડોદરાઃ પ્રેમલગ્ન કર્યા પછી દહેજ તેમજ શંકાશીલ સ્વભાવ,ઘરકામ જેવી બાબતોને કારણે પરિણીતાઓ પર ત્રાસ ગુજારવાના બે કિસ્સા પોલીસ સમક્ષ આવ્યા છે.

વાસણારોડ વિસ્તારની પરિણીતાએ કહ્યું છે કે,પ્રેમલગ્ન કર્યા તેના ૧૫ દિવસમાં જ મારા પર ત્રાસ ગુજારવાનું શરૃ કરાયું હતું.પતિ  નોકરીના સ્થળે ફોન કરતો હતો.પુત્રની  સ્કૂલ ફી માટે પણ ઝઘડો થતા હતા.પતિએ મને જીવતી નહિં રહેવા દેવાની ધમકી આપી  ગુપ્ત ભાગે માર માર્યો હતો.જે પી રોડ પોલીસે આ અંગે પતિ સામે ગુનો નોંધ્યો છે.

અન્ય એક બનાવમાં પરિણીતાએ કહ્યું છે,સાસુના ત્રાસથી મકાનની ઉપરનો માળ બનાવવા મેં પિતા પાસે રૃ.૬લાખ મંગાવ્યા હતા.લખાણ કર્યું હોવા છતાં સાસુએ આ મકાનનો કબજો લઇ લીધો હતો.આ ઉપરાંત બીજું મકાન ખરીદવા માટે પણ મારા પિતાએ રૃ.૧૦ લાખની મદદ કરી હતી.પતિ દુબઇ ચાલ્યો ગયો હતો અને ત્યાંથી પણ રૃપિયા મોકલતો નહતો.તાજેતરમાં ગણેશ વિસર્જન નિમિત્તે હું બહારથી આવી ત્યારે પતિ ઘરમાં હતો અને તેણે તોડફોડ  કરેલી હતી.જેથી પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News