દાહોદ તાલુકાના ખરજ ગામે કરુણાંતિકા તળાવના પાણીમાં ડૂબી જતા બે માસૂમ બાળાના કરૃણ મોત

હોળી પૂર્વે જ કરૃણ ઘટનાથી ગામમાં ગમગીની ઃ પરિવારજનોનું ભારે આક્રંદ

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
દાહોદ તાલુકાના ખરજ ગામે કરુણાંતિકા  તળાવના પાણીમાં ડૂબી જતા બે માસૂમ બાળાના કરૃણ મોત 1 - image

દાહોદ તા.૨૩ દાહોદ જિલ્લાનાં ખરજમાં હોળીના પર્વ ટાણે  કરૃણ બનાવ બન્યો છે. ફળિયામાં રમતી ચાર બાળકીઓ ફૂટેલાવ તળાવમાં છાણા વિણવા ગઈ હતી ત્યારે ચાર બાળકીઓ પૈકી બે બાળકી તળાવ પાસે ઊંડા ખાડામાં લપસી જતા બંને બાળકીઓ ડૂબી જવાથી મોતને ભેટી હતી.

પ્રાપ્ત વિગત મુજબ દાહોદ તાલુકાના ખરજ ગામે સુનિતા ખરાડિયા (ઉ.ળ.૧૦ વર્ષ) તેમજ સમીરા ખરાડિયા (ઉ.વ.૬ વર્ષ) તેમજ અન્ય બે બાળકીઓ મળી કુલ ચાર બાળાઓ સાંજના સમયે ઘરની બહાર રમતી હતી. આ દરમિયાન ચારે બાળકીઓ ગામના નજીક ફુંટેલાવ તળાવ ખાતે છાણા વિણવા ગઈ હતી ત્યાંથી પરત આવતી વખતે સુનીતા તેમજ સમીરા બંને તળાવ નજીકના ખાડામાં લપસી પડતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી. 

દરમિયાન અન્ય બે બાળકીઓએ બૂમાબૂબ કરતા ફળિયામાં પહોંચી ગ્રામજનોને ઘટના વિશે જણાવતા ગ્રામજનો તેમજ બંને બાળકીઓના પરિવારજનો તળાવ ખાતે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને બાળકીઓના મૃતદેહ બહાર કાઢયા હતાં. બંને બાળાઓના મૃતદેહો જોઇને પરિવારજનોએ ભારે કલ્પાંત કર્યું હતું. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  હતી.




Google NewsGoogle News