શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા બે બાળકોના મોત

છેલ્લા ૨૪ કલાકમાં વધુ એક બાળક સારવાર માટે દાખલ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા બે બાળકોના મોત 1 - image

વડોદરા,શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા બે બાળકોનો સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. જોકે, બંને બાળકોના રિપોર્ટ  હજી પેન્ડિંગ છે.

સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો સાથે પંચમહાલના ઘોઘંબાનો બે વર્ષનો બાળક સારવાર માટે દાખલ થયો હતો. થોડા દિવ સો  પહેલા દાખલ થયેલા બાળકની સારવાર આઇ.સી.યુ.માં ચાલતી હતી. આજે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. તેવી જ રીતે થોડા દિવસો પહેલા શહેર નજીકના કોટાલી ગામે રહેતી ૧૦ વર્ષની બાળકી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થઇ હતી. તેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.  જોકે, બંને બાળકોના રિપોર્ટ  હજી પેન્ડિંગ છે. અત્યારસુધી સયાજીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા કુલ ૯ બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ એક બાળક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર માટે દાખલ થયું છે.


Google NewsGoogle News