ઝૂંપડામાં આગ લાગતા બે માસુમ બાળકોના કમકમાટીભર્યા મોત

માતા બાળકોને ઝૂંપડામાં મૂકી પાણી ભરવા ગઇ અને આકસ્મિક આગમાં બંને ભાઇ-બહેન ભડથું

Updated: May 16th, 2024


Google NewsGoogle News
ઝૂંપડામાં આગ લાગતા બે માસુમ બાળકોના કમકમાટીભર્યા મોત 1 - image

દાહોદ તા.૧૬ ફતેપુરા તાલુકાના જલાઈ ગામે આજે બપોરે બે માસુમ બાળકોને ઝૂંપડામાં મૂકી માતા પાણી ભરવા ગઇ ત્યારે ઝૂંપડામાં અકસ્માતે આગ લાગતા બે બાળકો બળીને ભડથું થઈ જતા અરેરાટી વ્યાપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના જલાઈ ગામે આવેલ કસુમોર ફળિયામાં રહેતા કબુડીબેન ભુરસીંગભાઇ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, પોતાના રહેઠાણ માટે બનાવેલ લાકડાના મકાનમાં અને મકાનની ચારે બાજુ સરેટાથી ઢાંકેલ ઝૂંપડામાં બપોરે આગ લાગી હતી. ઘરમાં માત્ર બે માસુમ સંતાનો ભાવના (ઉ.વ.૨) તથા પોપટ (ઉ.વ.૯ માસ)ે હતા.

મકાનમાં અકસ્માતે આગ લાગતા ભાવના તથા પોપટ આગની લપેટમાં આવી જતા બળીને ભડથુ થઈ ગયા હતાં. ઝૂંપડામાં કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી.




Google NewsGoogle News