વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાણોદ કરનાળી વચ્ચેના બ્રિજ ઉપરથી નર્મદા ઓરસંગ અને લુપ્ત સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનો અનોખો નજારો
- વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર થી ચાણોદ અને પોઇચા સ્વામીનારાયણ મંદિર વચ્ચે નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ
વડોદરા,તા.17 ઓગષ્ટ 2022,બુધવાર
સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં ૫.૬૨ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેને કારણે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેની સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે અત્યારે 200 લોકોનું સ્થળાંતર કર્યા હોવાનું જાણવા મળે છે.
સરદાર સરોવર ડેમમાંથી આજ સવારના ૯ વાગ્યે રેડિયલ ગેટ અને વીજળી ઘરોમાં થી નર્મદા નદીમાં ૫૬૨૯૯૨ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.વડોદરા જિલ્લા કલેકટરે આ લોકમાતા બે કાંઠે છલકાતી હોવાથી કાંઠાના ગામોમાં સંપૂર્ણ સાવચેતી રાખવા અને ખાસ કરીને શ્રધ્ધાળુઓ અને તીર્થ યાત્રીઓને પાણી સાથે કોઈ સાહસ ન કરવા અનુરોધ કર્યો છે.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાણોદ કરનાળી વચ્ચેના બ્રિજ ઉપરથી નર્મદા ઓરસંગ અને લુપ્ત સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનો અનોખો નજારો#VAdodara #orsangRiver #SarasawtiRiver pic.twitter.com/g27jbX21H1
— Gujarat Samachar (@gujratsamachar) August 17, 2022
ઉપરોક્ત સમયે સરદાર સરોવર જળાશયમાં ઉપરવાસ માં થી ૫૯૩૬૬૯ ક્યુસેક જળ આવક હતી અને ડેમ ખાતે પાણીની સપાટી ૧૩૪.૩૩ મીટર હતી. હાલમાં નદીમાં ખુલ્લા દરવાજાઓ માં થી ૫ લાખ ક્યુસેક અને બે જળ વિદ્યુત મથકોમાં થી ૬૨૯૯૨ ક્યુસેક જળ પ્રવાહ વહાવવામાં આવી રહ્યો છે.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેથી નીચાણ વાળા વિસ્તારના ગામોના રહીશોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજે સવારથી બપોર સુધીમાં અંદાજે 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે નીચાણ વાળા વિસ્તારના ગામોમાં રહેતા લોકોને સાવચેતીના પગલાં લેવા અને પાણીની સપાટીમાં ઉતરોતર થતો વધારો જોતા સાવજ રહેવા જણાવ્યું છે.
નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિની સાથે સાથે ચાણોદ કરનાળી વચ્ચે નર્મદા નદી ઓર સંગ નદી અને લુપ્ત થયેલી સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનો અદભુત નજારો સર્જાયો હતો. નર્મદા નદીમાં પાણીનું જળસ્તર વધવાને કારણે ઓરસંગ નદીની સપાટી પણ વધી છે અને બે કાંઠે વહેતી થઈ છે.
બીજી તરફ દેવ ડેમમાં પાણીની આવક ઘટી જતાં ખુલ્લા દરવાજાની ઊંચાઈ ઘટાડીને ઓછા પ્રમાણમાં પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.