હિન્દુ વિધવાને લાલચ આપી બળાત્કાર ગુજારનાર વેપારી જેલમાં,પીડિતાના ઘરના કેમેરા સામે કપડાં કઢાવતો હતો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
હિન્દુ વિધવાને લાલચ આપી બળાત્કાર ગુજારનાર વેપારી જેલમાં,પીડિતાના ઘરના કેમેરા સામે કપડાં કઢાવતો હતો 1 - image

વડોદરાઃ પાણીગેટ વિસ્તારમાં રહેતા એક્વેરિયમ ના  એક વેપારીએ હિન્દુ વિધવાને લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની અને ધાકધમકી આપી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સમા વિસ્તારમાં રહેતી પીડિતાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૧માં મારે મોહસીનખાન પઠાણ સાથે પરિચય થયો હતો.તેણે મને વિશ્વાસમાં લઇ મારી સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો.

આરોપી મારા ફ્લેટ પર પણ અવારનવાર આવતો હતો અને ત્યાં પણ મારી મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચરતો હતો.જ્યારે ફતેગંજ વિસ્તારમાં તેની દુકાન પર પણ મને બોલાવતો હતો. ત્યારબાદ તે મને ગાળો ભાંડી વારંવાર ધમકી આપતો હતો.

ફતેગંજના પીઆઇ અજય ગઢવીએ આ ફરિયાદને આધારે બળાત્કારનો ગુનો નોંધી આરોપી મોહસીનખાન શબ્બીરખાન પઠાણ(રહેમાની પાર્ક, આર્યુવેદિક કોલેજ પાસે,પાણીગેટ)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

પીડિતાના મકાનમાં કેમેરા સામે જ તેના કપડાં કઢાવતો હતો

પીડિતાએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો છે કે,મોહસીનખાન મારે ઘેર આવતો હતો અને બળજબરીપૂર્વક શારીરિક સબંધ રાખવા ફરજ પાડતો હતો.મારા ઘરના વાયફાય કેમેરાની સામે જ મારી પાસે કપડાં કઢાવતો હતો.મને બીભત્સ ગાળો  ભાંડી કોઇને પણ આ વાતની જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો.


Google NewsGoogle News