બેકારીથી કંટાળીને છાણીના પ્રૌઢનો ગળા ફાંસો ખાઇને આપઘાત

રિક્ષા ડ્રાઇવરે ઘર કંકાસથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું : પરિણીતાનો અગ્મય કારણોસર ગળા ફાંસો

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
બેકારીથી કંટાળીને છાણીના પ્રૌઢનો ગળા ફાંસો ખાઇને આપઘાત 1 - image

વડોદરા,બેકારીથી કંટાળીને છાણી વિસ્તારમાં રહેતા પ્રૌઢે તથા ઘર કંકાસથી કંટાળીને રિક્ષા ડ્રાઇવરે ઘરે જ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધા હતા. જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છાણી જકાતનાકા એકતા નગરમાં રહેતા ૫૦ વર્ષના હેમંતભાઇ ભાઇલાલભાઇ પરમારના  ઘરે છતના હુક પર સાડી વડે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે ફતેગંજ  પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી  હતી. પોલીસ તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, ગઇકાલે રાતે હેમંતભાઇના  પત્ની અને સંતાનો ધાબા  પર સૂઇ  ગયા હતા. જ્યારે  હેમંતભાઇ નીચે સૂઇ ગયા હતા. સવારે પરિવારજનો ઉઠયા ત્યારે આપઘાતની જાણ થઇ હતી. બેકારીથી કંટાળીને હેમંતભાઇએ આપઘાત કર્યો હોવાની  વિગતો પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે.

અન્ય એક બનાવની વિગત એવી છે કે, ખોડિયાર નગર પાસે વ્હાઇટ વુડાના મકાનમાં રહેતા ૩૦ વર્ષના રિક્ષા ડ્રાઇવર અર્જુન લાલાભાઇ સલાટે ગઇકાલે રાતે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બાપોદ પોલીસે  હાથ ધરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, અર્જુન સલાટે ઘર કંકાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો.

ત્રીજા બનાવની વિગત એવી છે કે, મૂળ યુ.પી.ની ત્રિશલાબેન  પુષ્પેન્દ્રસિંહ યાદવના લગ્ન હાલમાં જ થયા હતા. ગઇકાલે તેણે ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે જવાહર નગર પોલીસે તપાસ હાથ ધરી છે. લગ્ન ગાળો એક વર્ષથી ઓછો હોઇ બનાવની તપાસ એ.સી.પી. આર.ડી. કવા કરી રહ્યા છે. જોેકે, આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.


Google NewsGoogle News