બીમારીથી કંટાળીને ત્રીજા માળે બાલ્કનીમાંથી નીચે કૂદી વૃદ્ધનો આપઘાત

પુત્ર અમેરિકા રહેતો હોવાથી મૃતદેહ કોલ્ડ રૃમમાં મૂકાયો

Updated: May 31st, 2024


Google NewsGoogle News
બીમારીથી  કંટાળીને ત્રીજા માળે બાલ્કનીમાંથી નીચે કૂદી વૃદ્ધનો આપઘાત 1 - image

વડોદરા,બીમારીથી કંટાળીને ૯૪ વર્ષના વૃદ્ધે ત્રીજા માળે ઘરની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવીને મોતને વહાલું કરી લીધું હતું. જે અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોત્રી  હરિનગર પાસે ફોર્ચ્યુન એમ્પાયરમાં રહેતા રમાકાંતભાઇ ભીખાભાઇ પટેલ ( ઉં.વ.૯૪) અગાઉ મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેક્ટરી ચલાવતા હતા.  હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગુજારતા હતા. તેમના પુત્ર અને પુત્રી  છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. રમાકાંતભાઇ છેલ્લા ઘણા સમયથી બ્લ્ડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓની પીડાતા હતા. તેમના પત્ની પણ બીમાર રહેતા હતા. ઘણા સમયથી ચાલતી બીમારીથી કંટાળીને રમાકાંતભાઇએ  ત્રીજા માળે ઘરની બાલ્કનીમાંથી નીચે ભૂસકો મારીને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે ગોરવા પોલીસે કાયદસેરની કાર્યવાહી હાથ ધરી છે. રમાકાંતભાઇનો પુત્ર યુ.એસ.એ. હોવાથી તેના આવતા સુધી મૃતદેહને કોલ્ડરૃમમાં મૂકવામાં આવ્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં ન્યૂ અલકાપુરી વિસેન્ડા ગેલેક્ષી ટાવરમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ૭૩ વર્ષના હરિચંદ્ર અયોધ્યાપ્રસાદ ગુપ્તાએ બીમારીથી કંટાળીને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.


Google NewsGoogle News