બીમારીથી કંટાળીને શ્રમજીવીનો ઝેરી દવા પીને આપઘાત

પરિવારજનો ભજનના કાર્યક્રમમાંથી પરત આવ્યા ત્યારે બનાવની જાણ થઇ

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
બીમારીથી કંટાળીને શ્રમજીવીનો ઝેરી દવા પીને આપઘાત 1 - image

વડોદરા,બીમારીથી કંટાળીને સાંકરદા ગામના પ્રૌઢે ઝેરી દવા  પીને આપઘાત કરી લીધો હતો. જે અંગે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાંકરદા ગામ ત્રિભુવન ફળિયામાં રહેતા ૪૯ વર્ષના રમેશભાઇ જલાભાઇ ચાવડાએ ગત તા. ૧૨ મી એ રાતે અગિયાર વાગ્યે ઝેરી દવા પી લીધી હતી. તેમનો દીકરો સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે  પહેલા જ તેઓનું મોત થયું હતું. જે અંગે નંદેસરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, રમેશભાઇ ચાવડા મજૂરી કામ કરતા હતા. તેઓને ડાયાબિટિસની બીમારી હતી. તે બીમારીથી કંટાળીને તેમણે ઝેરી દવા  પી લીધી હતી. તેમના પરિવારજનો ભજનના કાર્યક્રમમાં ગયા હતા. કાર્યક્રમમાંથી તેઓ પરત આવ્યા ત્યારે બનાવની જાણ થઇ હતી.


Google NewsGoogle News