નટરાજ એન્ક્લેવના ફ્લેટમાં બહારની યુવતીઓ અને 8-10લોકો દારૃ પીવે છે..પોલીસને કોલ મળતાં ત્રણ પીધેલા પકડાયા

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
નટરાજ એન્ક્લેવના ફ્લેટમાં બહારની યુવતીઓ અને 8-10લોકો દારૃ પીવે છે..પોલીસને કોલ મળતાં ત્રણ પીધેલા પકડાયા 1 - image

વડોદરાઃ કારેલીબાગ જલારામ મંદિર વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાંથી ગઇરાતે પોલીસે ત્રણ પીધેલા યુવકોને ઝડપી પાડી કેસ કર્યો હતો.

પોલીસ કંટ્રોલરૃમને એવી માહિતી મળી હતી કે,જલારામ મંદિર પાસે આવેલા નટરાજ એન્ક્લેવ(આરબીજી કોમ્પ્લેક્સ)ના એક ફ્લેટમાં બહારથી આવેલી ત્રણ યુવતી અને ૮ થી ૧૦ જણા દારૃ પી રહ્યા છે.જેથી કંટ્રોલરૃમે કારેલીબાગ પોલીસને મોકલી હતી.

પોલીસ પહોંચી ત્યારે ત્રણ યુવક દારૃના નશામાં મળી આવ્યા હતા.જેમાં પ્રણવ કાન્તિભાઇ પંડયા,વિક્રમ ધનજીભાઇ મકવાણા અને હિરેન મોહનભાઇ મકવાણા(ત્રણેય રહે. નવી ધરતી ,નાગરવાડા)નો સમાવેશ થાય છે.આ સિવાય પોલીસને કાંઇ હાથ લાગ્યું નહતું.


Google NewsGoogle News