માંજલપુરમાં શોભાયાત્રાના રૃટ પરથી ત્રણ નશેબાજ મિત્રો ઝડપાયા

વાઘોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડમાં દારૃ પીને ધમાલ કરતા બે પકડાયા

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News

 માંજલપુરમાં શોભાયાત્રાના રૃટ પરથી ત્રણ નશેબાજ મિત્રો ઝડપાયા 1 - imageવડોદરા,માંજલપુરમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રાના રૃટ  પરથી ત્રણ નશેબાજોને માંજલપુર  પોલીસે ઝડપી લીધા  હતા.

ગઇકાલે ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માંજલપુર વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે પોલીસ દ્વારા શોભાયાત્રાના રૃટ  પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન માંજલપુર વ્રજ હોસ્પિટલ પાછળ સહયોગ ગરબા ગ્રાઉન્ડ  પાસે દારૃનો નશો કરીને ફરતા (૧) જય અરૃણભાઇ મોરે ( રહે. વિનાયક ફ્લેટ, વડદલા બાયપાસ રોડ) (૨) કૃણાલ મનોહરભાઇ નિકમ ( રહે. પંચામૃત સોસાયટી, ગોત્રી) તથા (૩) ઋષિ પ્રમોદભાઇ આહિરે ( રહે. નિર્મળ પાર્ક સોસાયટી, માંજલપુર) ને માંજલપુર પોલીસે ઝડપી પાડયા હતા.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડમાં દારૃ પીને બે વ્યક્તિઓ ધમાલ કરી રહ્યા હોવાની માહિતી  પોલીસ કંટ્રોલરૃમ તરફથી  પાણીગેટ પોલીસને મળતા  પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે દારૃનો નશો કરેલા (૧) મેહુલ ભરતભાઇ ચાવડા ( રહે.પુનિત નગર સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) તથા (૨) ઉમેશ અશોકભાઇ વસાવા ( રહે. વુડાના મકાનમાં, જીવન નગર, વાઘોડિયા રોડ)ને ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News