પાણીગેટ શાસ્ત્રીબાગ પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા

કારેલીબાગ મનસુરી કબ્રસ્તાન પાસેથી ચાર જુગારીઓ પકડાયા

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News

 પાણીગેટ શાસ્ત્રીબાગ પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા 1 - imageવડોદરા,પાણીગેટ શાસ્ત્રીબાગ પાસે તથા કારેલીબાગ મનસુરી કબ્રસ્તાન નજીક જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે ઝડપી  પાડી ૩૪  હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ  પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, કારેલીબાગ મનસુરી કબ્રસ્તાન પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા (૧) શાહરૃખ સલીમભાઇ મનસુરી (૨) મુનાફ જીલાની સિન્ધી (૩) કાસીમખાન મકસુદખાન  પઠાણ તથા (૪) સમીર અર્શદખાન  પઠાણ ( તમામ રહે. હાથીખાના) ને ઝડપી પાડયા હતા.  પોલીસે જુગારીઓ પાસેથી કુલ રૃપિયા૧૨,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી  પોલીસે મળેલી માહિતીના આધારે  પાણીગેટ શાસ્ત્રીબાગ પાસે વુડાના મકાન નજીક દિવાલીની આડમાં જુગાર રમતા (૧) કિશોર દયારામભાઇ કહાર (૨) લીલાભાઇ ભીખાભાઇ તથા (૩)અશોક ઉર્ફે તલકા કેશવભાઇ ( ત્રણેય રહે. વુડાના મકાનમાં, પાણીગેટ) ને ઝડપી પાડી કુલ રૃપિયા ૨૧,૯૭૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News