કિશનવાડીમાં યુવકની હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

શોભાયાત્રામાં નાચવા બાબતે ઝઘડો થતા હુમલો કર્યો હતો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
કિશનવાડીમાં યુવકની હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા 1 - image

વડોદરાદશામાની શોભાયાત્રામાં નાચવા બાબતે ઝઘડો થતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.  પાણીગેટ પોલીસે મર્ડરના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.

કિશનવાડી વુડાના મકાનમાં રહેતો ૧૯ વર્ષનો પીયૂષ  ઠાકોર ગત તા. ૧ લી એ સાંજે સાત વાગ્યે દશામાની શોભાયાત્રામાં ગયો હતો. ત્યાં અન્ય મિત્રો સાથે તે નાચતો હતો. તે સમયે વચ્ચે ઝઘડો થતા આરોપીઓએ  પીયૂષ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પીયૂષના માથામાં કડું મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યાંથી બચીને પીયૂષ ભાગતો હતો. તે સમયે ડિવાઇડર સાથે અથડાઇને પડી જતા બેભાન જેવો થઇ ગયો હતો. હોસ્પિટલમાં સારવાર લેતા   પીયૂષનું મોત થયું હતું. પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ.એચ.એમ.વ્યાસે  સીસીટીવી ફૂટેજ, ખાનગી વીડિયોની ચકાસણી  હાથ ધરી  આ ગુનામાં સામેલ (૧) ધર્મેશ નગીનભાઇ સોલંકી (૨) રવિ જીવનભાઇ તડવી તથા (૩) રાહુલ ભાઇલાલભાઇ પરમાર ( ત્રણેય રહે. વુડાના મકાનમાં, કિશનવાડી)ને ઝડપી પાડી ઓળખ પરેડ કરાવી છે.


Google NewsGoogle News