વડોદરાના માંજલપુરની જૂથ અથડામણના ત્રણ આરોપી ઝડપાયા : પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
Updated: Jun 29th, 2024
Rioting Case in Vadodara : વડોદરાના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા કોતર તલાવડી પાસે મનહરનગરમાં ગત 27મી તારીખે મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. તોફાને ચડેલા બંને જૂથના યુવકોએ સામસામે પથ્થરમારો કરતા ભયનું વાતાવરણ ઊભું થયું હતું. જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને જૂથ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. માંજલપુર પોલીસે આ ગુનામાં આરોપી (1) અક્ષય મગનભાઈ રાઠવા (રહે. તુલજા નગર માંજલપુર) (2) ઈશ્વર ભાણાભાઈ બારોટ (રહે. સોમનાથ નગર માંજલપુર) (3) નામદેવ ક્રિષ્ના ભાઈ મોરે (રહે.સત્યમ નગર સમા) ની ધરપકડ કરી છે. જાહેરમાં પથ્થરમારો કરી અરાજકતા ફેલાવનાર આરોપીઓએ પોલીસનું કડકવલણ જોઈને ગભરાઈ ગયા હતા અને પોલીસ સમક્ષ હાથ જોડી દીધા હતા.
Gujarat