ખેડૂતોને પૂરતું વળતર નહીં મળતા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગશે

ચૂંટણી બાબતે ગામમાં કોઈપણ નેતાઓને પ્રવેશ કરવા દેવાશે નહીં

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ખેડૂતોને પૂરતું વળતર નહીં મળતા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગશે 1 - image

વડોદરા,રેલવે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર વડોદરા જિલ્લાના ખેડૂતોને પૂરતું વળતર નહીં મળતા નારાજ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો બનાવવાનું શરૃ કરી દીધું છે. આ બેનરો જિલ્લાના ગામોમાં આવતા અઠવાડિયાથી લાગવાના શરૃ થશે તેમ જાણવા મળ્યું છે.

એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ગઈકાલે  ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ રેલી કાઢવાનું આયોજન કર્યું હતું, પણ પરવાનગી નહીં મળતા ૯ ખેડૂત આગેવાનની અટકાયત કરી હતી. 

કરજણ તાલુકાના ૮, પાદરા તાલુકાના ૧૦, વડોદરા તાલુકાના ૧૭ અને સાવલીના ૧૭ ગામની જમીન ઉક્ત પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે જેના બદલામાં સુરત, વલસાડ, નવસારીના ખેડૂતોને જે વળતર ચૂકવ્યું છે તે મુજબ વડોદરા જિલ્લાના ખેડૂતોને પણ વળતર આપવા માગ થઈ રહી છે, પરંતુ કોઈ નિવેડો નહીં આવતા નારાજ ખેડૂતોએ આંદોલન શરૃ કર્યું છે.

ખેડૂતો હવે ઉક્ત તાલુકાના ગામોમાં  ચૂંટણી બહિષ્કારના બનેરો મૂકશે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, કોઈપણ પક્ષના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહ



Google NewsGoogle News