મકરપુરાની સોસાયટીનાં બંધ મકાનમાંથી રૃા.૧.૪૪ લાખની ચોરી

ઘરનો સામાન વેરવિખેર કરી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
મકરપુરાની સોસાયટીનાં બંધ મકાનમાંથી રૃા.૧.૪૪ લાખની ચોરી 1 - image

વડોદરા, તા.17 શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીના બંધ મકાનમાં ત્રાટકેલા ચોરો દાગીના અને રોકડ મળી કુલ રૃા.૧.૪૪ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે મકરપુરા વિસ્તારમાં એસઆરપી ગૃપ-૯ની બાજુમાં આવેલી મહાવીરપાર્ક સોસાયટીમાં રહેતા જશોદાબેન પરસોત્તમભાઇ તડવીના બંધ ઘરને નિશાન બનાવી ચોરો ત્રાટક્યા હતા અને ઘરનો સામાન વેરવિખેર કરી અંદર કબાટમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રૃા.૫૦ હજાર રોકડ મળી કુલ રૃા.૧.૪૪ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.

એક સપ્તાહ પહેલાં ચોરીની આ ઘટના બાદ જશોદાબેનના ભાઇનું નિધન થયું હોવાથી તેઓ તેમની વિધિમાં રોકાતા જે તે સમયે ફરિયાદ કરી ન હતી. દરમિયાન જશોદાબેને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




Google NewsGoogle News