ગીતામંદિર પાછળની સોસાયટીના બંધ મકાનમાંથી ચોરી

પત્નીનું ઓપરેશન હોવાથી હોસ્પિટલમાં ગયા અને ચોર ત્રાટક્યા

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ગીતામંદિર પાછળની સોસાયટીના બંધ મકાનમાંથી ચોરી 1 - image

વડોદરા,પત્નીના ઓપરેશન માટે હોસ્પિટલ ગયેલા દુકાન માલિકના ઘરમાંથી ચોર ટોળકી ૧.૪૧ લાખની મતા લઇ ગઇ હતી.

ગાજરાવાડી ગીતા મંદિરની પાછળ ગિરધર કોલોનીમાં રેહતા કિશોરભાઇ બાલુભાઇ હીરાણી હેર સલૂન ચલાવે છે. તેમના  પત્નીનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ કારેલીબાગની આસ્થા હોસ્પિટલમાં દાખલ છે. ગત તા.૩ જી એ રાતે સાડા આઠ વાગ્યે તેમની દીકરી ઘરે જઇ કપડા લઇ તાળું મારી હોસ્પિટલ પરત આવી ગઇ હતી. બીજે દિવસે સવારે આઠ વાગ્યે તેઓની દીકરી ઘરે ગઇ ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી  હાલતમાં હતો  અને ઘરનો સામાન વેરવિખેર  હાલતમાં હતો. ઘરમાં જઇને જોયું તો તિજોરી  પણ ખુલ્લી હતી. ચોર ટોળકી ઘરમાંથી સોનાના  પાંચ તોલા ઉપરાંતના વજનના દાગીના તથા ચાંદીના દાગીના અને  રોકડા ૨૫ હજાર મળી કુલ રૃપિયા ૧.૪૧ લાખની મતા લઇ ગઇ હતી.


Google NewsGoogle News