વડોદરાઃ ઇંટોના ભઠ્ઠામાં 3 વર્ષથી બંદી બનાવેલા પરિવારનો છૂટકારો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
વડોદરાઃ ઇંટોના ભઠ્ઠામાં  3 વર્ષથી બંદી બનાવેલા પરિવારનો છૂટકારો 1 - image

વડોદરાઃ વડોદરા નજીક ઇંટોના ભઠ્ઠામાં બંદી ની જેમ રાખી મુકેલા એક પરિવારે અભયમની મદદ લેતાં છૂટકારો થયો હતો.

પાદરા તાલુકામાં ઇંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાએ કહ્યું હતું કે,હું મારો પતિ અને ચાર સંતાનો ત્રણ વર્ષથી અહિં રહીને કામ કરીએ છીએ.ભઠ્ઠો ચલાવતો  સાહેબ અમને પુરું વળતર આપતો નથી અને ત્રણ વર્ષથી યુપીના વતનમાં પણ જવા દેતો નથી.

અભયમની ટીમે ભઠ્ઠાના માલિકનું કાઉન્સેલિંગ કરી પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવતાં તેણે પરિવારજનો સાથે હિસાબ કર્યો હતો અને પરિવાર યુપી જવા રવાના થયું હતું.


Google NewsGoogle News