શિનોર વતનમાં ગયેલા પરિવારના ઘરના તાળા તૂટયા

ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના અને રોકડા મળી ૧.૮૯ લાખની મતા લઇ ગઇ

Updated: May 15th, 2024


Google NewsGoogle News
શિનોર વતનમાં ગયેલા પરિવારના ઘરના તાળા તૂટયા 1 - image

 વડોદરા,શિનોર વતન ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના અને રોકડા ચોરી ગઇ હતી. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મકરપુરા બસ ડેપો પાછળ તુળજા નગરમાં રહેતા ધુ્રવેશ શાંતિલાલ પટેલ ખેતી કામ કરે છે. ગત તા.૫ મી એ બપોરે બાર વાગ્યે તેઓ પરિવાર સાથે વતન શિનોર તાલુકાના ઉતરાજ ગામે ગયા હતા અને ત્યાં જ રાત રોકાયા હતા. બીજે દિવસે સવારે સાડા દશ વાગ્યે પાડોશીએ કોલ કરીને મકાનમાંથી ચોરી થયાની જાણ કરી હતી. ધુ્રવેશ  પટેલે તાત્કાલિક પરત આવીને જોયું તો ચોર ટોળકી તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને ચોરી કરી  ગઇ હતી. ચોર ટોળકી સોના - ચાંદીના દાગીના અને રોકડા ૬૦ હજાર મળીને કુલ રૃપિયા ૧.૮૯ લાખની મતા ચોરી ગઇ હતી.


Google NewsGoogle News