પત્નીને જીવતી સળગાવી દેનાર હત્યારો પતિ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ જતાં વતનમાંથી પકડાયો

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
પત્નીને જીવતી સળગાવી દેનાર હત્યારો પતિ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ જતાં વતનમાંથી પકડાયો 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં પત્નીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા  ભોગવતો પતિ પેરોલ પર છૂટયા બાદ ફરાર થઇ જતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડયો છે.

કરજણ તાલુકાના સાંદરણા ગામે રહેતા કિરિટ ઉર્ફે જિગ્નેશ કાભઇ પાટણવાડિયા અને તેની પત્ની વચ્ચે વારંવાર ક્લેશ થતો હોવાથી ગઇ તા.૧૩-૧૦-૨૦૧૬ના રોજ કિરિટે પત્ની પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી હતી.જેથી આખા શરીરે દાજી ગયેલી પત્નીનું મોત નીપજ્યું હતું.

આ કેસમાં કોર્ટે દલીલો સાંભળ્યા બાદ પતિને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૃ.૩ હજારનો દંડ ફટકાર્યો હતો.જો દંડ ના ભરે તો વધુ સાત મહિનાની જેલનો હુકમ કરવામાં આવ્યો હતો.

હત્યારો કિરિટ તાજેતરમાં ૧૪ દિવસની પેરોલ પર છૂટયો હતો અને ત્યારબાદ હાજર નહિ થતાં સેન્ટ્રલ જેલના સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો ટીમે કિરિટ પર વોચ રાખી વહેલી સવારે તેના ગામમાંથી ઝડપી પાડયો હતો.


Google NewsGoogle News