આજવા રોડ પર રહેતા વિદેશી વિદ્યાર્થીએ દારૃના નશામાં જાતે જ હાથ પર ચાકૂના ઘા માર્યા હતા

વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરનાર ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સામે પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
આજવા રોડ પર રહેતા   વિદેશી વિદ્યાર્થીએ દારૃના નશામાં  જાતે જ હાથ પર ચાકૂના ઘા માર્યા હતા 1 - image

 વડોદરા,આજવા રોડ મહાવીર હોલ નજીકની પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરીરાજ એવન્યુમાં રહેતા  પારૃલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા મારામારી થઇ હોવાની વાત ગઇકાલે ચર્ચાસ્પદ બની હતી. પરંતુ,  તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, વિદેશી વિદ્યાર્થીએ દારૃના નશામાં જાતે જ પોતાના  હાથ પર ચાકૂના ઘા માર્યા હતા. જે અંગે પાણીગેટ પોલીસે એમ્બસીને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 આજવા રોડ મહાવીર હોલ નજીકની પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરીરાજ એવન્યુમાં થર્ડ ફ્લોર પર પી.જી. તરીકે રહેતા અને પારૃલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી  વિદ્યાર્થીઓ વચ્ચે  લોહિયાળ મારામારી થઇ હોવાની માહિતી મળતા ડીસીપી લીના પાટિલ તથા પી.આઇ.એચ.એમ.વ્યાસ  ઘટના સ્થળે દોડી  ગયા હતા. ફ્લેટમાં જઇને તપાસ કરતા ત્યાંથી એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થી મળી આવ્યો હતો. તેમજ રૃમમાં લોહી પડેલું હતું.  ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા વિદ્યાર્થીને પાણીગેટ પોલીસ સ્ટેશન  લઇ આવવામાં આવ્યો હતો.તેની સાથે વાતચીત કરવા માટે દુભાષિયાની મદદ લીધી  હતી.પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, ઇજાગ્રસ્ત ઇઝીકેલ વીલીયમે દારૃના નશામાં જાતે જ પોતાના  હાથ  પર ચાકૂના ઘા મારી દીધા હતા. ત્યારબાદ તે રૃમમાં ફર્યો હતો તેમજ એપાર્ટમેન્ટની નીચે આવીને  પણ આંટાફેરા માર્યા હતા. જેથી, પોલીસે ઇઝીકેલ વીલીયમ સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે વહેલી સવારે સાત વાગ્યે તેનો મિત્ર  પીટર ડાકાના ( રહે.આઝાદ ભવન હોસ્ટેલ, પારૃલ યુનિવર્સિટી, વાઘોડિયા રોડ) ઇઝીકેલ વિશે પૂછતો હતો. જેથી,  પોલીસે તેની સામે પણ  પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.


Google NewsGoogle News