દહેગામના વાસણા સોગઠીમાં એક સાથે આઠ યુવાનોની અર્થી ઉઠતાં આખું ગામ હિબકે ચઢ્યું
ગણેશ વિસર્જન પહેલાં મેશ્વો નદીમાં ડુબી જતાં કરૃણાંતિકા
સર્જાઇ હતી
મૃતકોમાં એક પરિવારના બે સગા ભાઇઓ અને કાકા- ભત્રીજાના મોત નિપજ્યાં દહેગામ વેપારી મંડળ દ્વારા સોમવારે સવારે ૮ થી ૧૦ દરમિયાન બંધનું એલાન
આ અંગે મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના વાસણા સોગઠી
ગામે નદીમાં ડૂબી ગયેલા ૮ યુવકોના દહેગામ અને રખિયાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં
પીએમ બાદ આજે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મૃતકોમાં બે સગા ભાઈઓ, એક પરિવારના કાકા
ભત્રીજાના પણ મોત થયા હોવાથી આ પરિવારમાં રોકકળના દ્રશ્યોથી વાતાવરણ ગમગીન બન્યું
હતું. તો એક પરિવારમાં શ્રીમંતનો પ્રસંગ પૂર્ણ થયાના બાદ પત્નીના કુખે બાળક અવતરે
તે પહેલા પિતાએ જીવ ગુમાવતા પરિવારના માથે દુઃખનો પહાડ તૂટી પડયો હતો. આ
અંતિમયાત્રામાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહીત અનેક અગ્રણીઓ અને
હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ ઘટના બાદ સમગ્ર તાલુકામાં માતમ છવાયો છે અને અને દહેગામ
શહેર તેમજ તાલુકાના ગણેશ પંડાલોમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તો દહેગામ વેપારી મંડળ દ્વારા સોમવારે સવારે ૮ થી ૧૦ દરમિયાન બંધનું એલાન આપવામાં
આવ્યું છે. આ દિવસે વેપારીઓ વારાહી માતાજીના મંદિરે એકઠા થઇ મૃતકોને શ્રદ્ધાંજલિ
આપી મૌન રેલી કાઢશે.કલોલ ખાતે આવેલા રામજી મંદિરમાં આજે એકાદશીના શુભ દિવસે રામજી
ભગવાનની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાંથી ધર્મપ્રેમી
જનતાએ અને ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.