અટલાદરા કલાલી બ્રિજ પર વાનમાં આગ લાગતાં અફરાતફરીઃઆખી વાન ખાક

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
અટલાદરા કલાલી બ્રિજ પર વાનમાં આગ લાગતાં અફરાતફરીઃઆખી વાન ખાક 1 - image

વડોદરાઃ અટલાદરા બ્રિજ પર આજે બપોરે એક વાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગમાં આખી વાન ખાક થઇ ગઇ હતી.

અટલાદરા-કલાલી બ્રિજ પરથી પસાર થતી એક વાનમાં કોઇ કારણસર આગ લાગતાં ચાલક સમયસૂચકતા વાપરીને નીચે ઉતરી જતાં તેનો  બચાવ થયો હતો.

બનાવને પગલે વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડીવાર માટે વાહન વ્યવહાર પર અસર પણ પડી હતી.ફાયર બ્રિગેડ આગ કાબૂમાં લે તે પહેલાં તો આખી વાન આગમાં ખાક થઇ ગઇ હતી.


Google NewsGoogle News