ટ્રાવેલ્સની બસમાં જ ડ્રાઇવરનો ફાંસો ખાઇને આપઘાત

નિત્યક્રમ મુજબ કંપનીના કર્મચારીઓને લેવા નહીં જતા તપાસ કરતા જાણ થઇ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
ટ્રાવેલ્સની બસમાં જ ડ્રાઇવરનો ફાંસો ખાઇને આપઘાત 1 - image

 વડોદરા,ટ્રાવેલ્સની બસમાં જ ડ્રાઇવરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નાથકુવા ગામે રહેતા કિરણસિંહ ગણપતસિંહ સોલંકી ( ઉં.વ.૪૨) વડોદરાની રાવ ટ્રાવેલ્સની બસમાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ વડોદરાથી પાવાગઢ એક કંપનીમાં કર્મચારીઓને લઇને જાય છે. આજે સવારે તેઓ નિયતક્રમ મુજબ સ્ટાફને લેવા નહીં જતા કર્મચારીઓએ ટ્રાવેલ્સની ઓફિસનો સંપર્ક કર્યો હતો. ટ્રાવેલ્સની ઓફિસમાંથી જી.પી.એસ.ના આધારે તપાસ કરતા બસ વેલકેર હોસ્પિટલની સામે કાયમના સ્ટોપેજ પર જ  ઉભી હતી.જેથી, નજીકમાં બસ લઇને ઉભેલા અન્ય ડ્રાઇવરને તપાસ  કરવા મોકલ્યો હતો. તેણે જઇનેજોયું તો કિરણસિંહે બસના હુક  પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો  હતો. જે અંગે અટલાદરા  પોલીસને જાણ કરવામાં આવતા હે.કો.વિનોદભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી છે. જોકે, આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.  


Google NewsGoogle News