મર્ડર કેસનો આરોપી ફર્લો રજા પર છૂટીને ભાગી ગયો

બળાત્કારના કેસમાં વચગાળાના જામીન પર છૂટીને ભાગી જતા કેદી સામે ગુનો

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
મર્ડર કેસનો આરોપી ફર્લો રજા પર છૂટીને ભાગી ગયો 1 - image

વડોદરા,વડોદરા જેલમાં સજા ભોગવતા બે કેદી ફર્લો અને વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઇ  ગયા હતા. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના અમથાણી ગામે રહેતા શૈલેષ રમણભાઇ ડામોર સામે કડાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ - ૨૦૨૧ માં હત્યાની કોશિશ અને હત્યાનો ગુનો દાખલ થયો હતો. લુણાવાડા કોર્ટે આરોપીને ઓક્ટોબર - ૨૦૨૨ માં આજીવન  કેદની સજા કરી હતી. ફર્લો રજા પર મુક્ત થયેલો કેદી પરત જેલમાં હાજર થયો નહતો અને ફરાર થઇ  ગયો હતો.

અન્ય એક બનાવમાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં બાંધણી મુકામે રહેતા અજય ઉર્ફે અજલો જ્યંતિભાઇ ભોઇ સામે પોક્સો અને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. વચગાળાના જામીન પર છૂટીને કેદી ફરાર થઇ  જતા તેની સામે જેલરે ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News