UK જતી પુત્રીને મુકવા જવા એક દિવસ માટે પેરોલ પર છટ્યા બાદ ફરાર થયેલાે આરોપી પકડાયો
વડોદરાઃ વૃદ્ધ દંપતીનું મકાન વેચી દેવાના બનાવમાં પકડાયેલો આરોપી એક દિવસ માટે જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ ફરાર થઈ જતા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડયો છે. નાગપુર ખાતે રહેતા વૃદ્ધ દંપતીનું ફતેગંજ વિસ્તારમાં આવેલું મકાન બોગસ ડોક્યુમેન્ટ બનાવી વેચી દેવાના બનાવમાં સામેલ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.જેમાં સુનિલ રફાયલ પરમાર (આશીર્વાદ ફ્લેટ, ન્યુ સમા રોડ)પણ પકડાયો હતો.
જેલમાં મોકલાયેલા સુનિલની પુત્રી યુકે જવાની હોવાથી તે એક દિવસના પેરોલ પર છૂટયો હતો.જે મુજબ તેને તા.૯મી સપ્ટેમ્બરે ફરીથી જેલમાં હાજર થવાનું હતું.પરંતુ તે હાજર નહિં થતાં જેલ સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચની પેરોપ ફર્લો સ્કવોડે તપાસ કરતાં ગઇકાલે સુનિલ તેના સમા ખાતેના મકાનમાં હોવાની માહિતી મળી હતી.જેથી પોલીસે છાપો મારી તેને ઝડપી પાડયો હતો અને જેલના હવાલે કરવાની તજવીજ કરી હતી.