૨૨ વર્ષીય પ્રેમી સાથે સગીર પ્રેમિકાએ કુવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યુ

આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૃ કરી

Updated: May 17th, 2024


Google NewsGoogle News
૨૨ વર્ષીય પ્રેમી સાથે સગીર પ્રેમિકાએ કુવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યુ 1 - image

દેવગઢ બારીઆ,દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક ૨૨ વર્ષના યુવક અને ૧૫ વર્ષની સગીરાએ કૂવામાં ઝંપલાવી દેતાં બંન્ને પ્રેમી પંખીડાઓના મોત થયા છે. 

મળતી માહિતી મુજબ, દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે માલગુણ ફળિયામાં રહેતાં ૨૨ વષય સંજયભાઈ નાનસીંગભાઈ પરમાર અને અન્ય એક ગામમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આજરોજ આ બંન્ને પ્રેમી પંખીડાએ અગમ્યકારણોસર પીપલોદ ગામે પરમાર ફળિયામાં આવેલ એક કૂવામાં મોતની છલાંગ લગાવતાં બંન્ને પ્રેમી પંખીડાઓના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર યુવક અને સગીરાના પરિવારજનો તેમજ ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.બંન્નેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.આ સંબંધે પીપલોદ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News