સોશિયલ મીડિયાના વળગણના કારણે ઘર છોડનાર વિદ્યાર્થી હજી લાપતા

પોલીસે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News

 સોશિયલ મીડિયાના વળગણના કારણે ઘર છોડનાર વિદ્યાર્થી હજી લાપતા 1 - imageવડોદરા,ઇન્સ્ટાગ્રામ પરની ચેટ માતાએ ડિલિટ કરી  દેતા સ્યુસાઇડ કરવાનું કહીને ઘર છોડીને જતા  રહેલા ધો. ૯ ના વિદ્યાર્થીને શોધવા માટે પોલીસે અલગ - અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.  પરંતુ, વિદ્યાર્થીનો કોઇ પત્તો મળ્યો નથી.

બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા  અને કરિયાણાની દુકાન ચલાવતા વેપારીનો ૧૪ વર્ષના પુત્ર સોશિયલ મીડિયાનું વળગણ થતા તેણે પરિવારજનો સાથે ઝઘડો કરી ઘર છોડીને જતો રહ્યો હતો. જે અંગે તેની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પી.આઇ. એમ.આર. સંગાડાએ ટીમ બનાવી તપાસ  હાથ ધરી છે.  પોલીસે વિદ્યાર્થીના મિત્ર વતૃળમાં તપાસ  હાથ ધરી છે. તે ઉપરાંત પોલીસે એસ.ટી. સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજની ચકાસણી  હાથ ધરી છે. પરંતુ, હજીસુધી તેની ભાળ મળી નથી.


Google NewsGoogle News