કરજણના કુરાઇ ગામે શેરી કૂતરાનો આતંક : ચારને બચકા ભર્યા

ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

Updated: May 20th, 2024


Google NewsGoogle News
કરજણના કુરાઇ ગામે શેરી કૂતરાનો આતંક : ચારને બચકા ભર્યા 1 - image

 વડોદરા, કરજણના એક ગામમાં  એક જ દિવસમાં ચાર લોકોને કૂતરાએ બચકા ભરતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

વધતી જતી ગરમીની અસર શેરી કૂતરાઓ પર પણ થઇ રહી છે.કરજણ તાલુકાના કુરાઇ ગામે આજે સવારે શેરી કૂતરાઓએ ચાર લોકોને બચકા ભર્યા હતા. ઇજાગ્રસ્ત રાજુભાઇ વલીભાઇ ગાંધી ( ઉં.વ.૪૫), જ્યોતિબેન સુરેશભાઇ વસાવા ( ઉં.વ.૩૪), હરિભાઇ પ્રતાપભાઇ વસાવા ( ઉં.વ.૬૦) તથા સંગીતાબેન ( ઉં.વ.૩૪)ને સારવાર માટે કરજણથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. તેઓની હાલત સામાન્ય છે. 


Google NewsGoogle News